માનવ ગરિમા યોજના 2023 રૂ 25000 ની સાધન સહાય યોજના ફોર્મ ભરો

માનવ ગરિમા યોજના 2023 | માનવ ગરિમા યોજના ગુજરાત SJED Application Form 2023 Manav Garima Yojana Registration Online | માનવ ગરીમા યોજના ગુજરાત | Gujarat Manav Garima Scheme | Manav Garima yojana online form 2023 | Manav Garima yojana Application Form | Manav Garima yojana in Gujarat

નમસ્કાર મિત્રો સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય માટે Manav Garima Yojana 2023 જાહેર કરેલ છે. જો તમે પણ આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોવ તો. માનવ ગરીમા યોજના ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાંથી ભરવુ, શું documents ની જરૂર પડે, કોણ આ યોજના નો લાભ લઈ શકે, તમામ જાણકારી તમને આ post માં મળી જશે.

માનવ ગરિમા યોજના 2023
માનવ ગરિમા યોજના 2023

જો તમે આ Manav Garima Yojana માનવ ગરિમા યોજના નો લાભ લેવા માંગતા હોવ તો આ યોજના ની સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં છે પોસ્ટ ને ધ્યાન થી વાંચવા વિનંતી. ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકાર ની યોજના ચલાવવા માં આવે છે જેવી કે વહાલી દીકરી યોજનાજ્ઞાન સાધન સ્કોલરશીપ યોજનાઈ સમાજ કલ્યાણ યોજના Samras Hostel Admission અને બીજી ઘણી બધી યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માં આવે છે   

Manav Garima Yojana | માનવ ગરિમા યોજના ગુજરાત SJED

ગુજરાત રાજ્ય માં આર્થિક રીતે નબળા વર્ગના લોકો સમાજમાં સન્માનભેળ જીવન જીવે તે જરૂરી છે. આર્થિક રીતે નબળા લોકો માટે રોજગારી મેળવવી ખૂબ જરૂરી છે. રોજગારી મેળવવા માટે નો એક રસ્તો સ્વરોજગારી નો છે. ગુજરાત રાજ્ય માં રેહતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો ને નવો ધંધો ચાલુ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવેલ છે. 

માનવ ગરિમા યોજના 2023 ને બહાર પાડવાનો મુખ્ય હેતું ગરીબી રેખા {BPL} નીચે જીવતા લોકો ને સ્વરોજગારી ઊભી કરવા અને પોતાનો ધંધો ચાલુ કરવા માટે સહાઈ પૂરી પાડવાનો છે. આ યોજના મારફતે નવો ધંધો ચાલુ કરવા માટે રૂપિયા ૨૫૦૦૦  સુધીની સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. 

ઈ સમાજ કલ્યાણ ગુજરાત ના પોર્ટલ ઉપર દર વર્ષે આ યોજની જાહેરાત કરવામાં આવે છે. અહી આપડે માનવ ગરિમા યોજના વિશે જાણકારી મેળવવાની છે જો તમે પણ આ યોજના માં ફોર્મ ભરવા માંગતા હોવ અને નવો ધંધો ચાલુ કરવા ઇચ્છતા હોવ તો આ પોસ્ટ અંત સુધી વાંચવા વિનંતી.

Manav Garima Yojana વિશે ટુંક માં માહિતી

માનવ ગરિમા યોજના 2023 ની ટુંક માં માહિતી નીચે ટેબલ માં દર્શાવવા માં આવેલ છે યોજના ની સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપવામાં આવેલ છે.

યોજનાનું નામ માનવ ગરિમા યોજના 2023
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
પેટા વિભાગનું નામ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માંગતા અનુસુચિત જાતિના અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર સહાય લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? અનુસુચિત જાતિ અને તે પૈકી અતિ પછાત જાતિના લોકો
અરજી પ્રક્રિયા ઓનલાઈન
Official Website https://esamajkalyan.gujarat.gov.in/

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
E Samaj Kalyan Portal Registration 2023

Manav Garima Yojana લાભ લેવા માટે નિયમ અને શરતો

Manav Garima Yojana ૨૦૨૩ લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ દ્વારા નિયમ અને શરતો આપેલ છે જે આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તેવા લાભાર્થી ને આ નિયમ અને શરતો નું પાલન કરવું ખૂબ જરૂરી છે Manav Garima Yojana ૨૦૨૩ માટે નિયમ અને શરતો નીચે દર્શાવવામાં આવેલ છે ધ્યાન પૂર્વક વાંચવી. 

  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
  • માનવ ગરિમા યોજના 2023

Also Read :- વાહલી દીકરી યોજના યોજના 

માનવ ગરિમા યોજના 2023 માટે રજૂ કરવાના ડોકયુમેંટ 

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. 

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • સ્વ ઘોષણા
  • એકરારનામું

ઉપર દર્શાવેલ તમામ આધાર – પુરાવા ઓનલાઇન અરજી કરતી વખતે રજૂ કરવા ફરજિયાત છે. માનવ ગરિમા યોજના ૨૦૨૩ માટે તમામ આધાર તમારી પાસે હોવા જરૂરી છે આ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહશે. અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે આપવામાં આવેલ છે.

 આ યોજના હેઠળ કુલ 28 પ્રકાર ના વ્યવસાય ની યાદી

manav garima yojana 2023 આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કુલ 28 પ્રકાર ના ધંધા માટે ટૂલ કીટ આપવામાં આવે છે. લાભાર્થીઓ જે પ્રકાર નો ધંધો કરતાં હોય તે મુજબ સાધન પૂરા પાડવામાં આવે છે આ યોજના માં સમાવીશ થતા  વ્યવસાય ની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે લાભાર્થી જે ધંધો કરતાં હોય તેના અનુરૂપ સહાય પૂરી પાડવા માં આવે છે.

  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરિમા યોજના 2023 માં અરજી કરવા માટે આવક મર્યાદા

આ યોજના નો લાભ મેળવવા માટે સરકાર દ્વારા આવક મર્યાદા નું ધોરણ ઊભું કરેલ છે જો તમે માનવ ગરિમા યોજના નો લાભ લેવા માંગતા હોવ તો તમારી વાર્ષિક આવક નીચે જણાવ્યા અનુસાર હોવી ખૂબ જરૂરી છે.

વિસ્તાર આવક મર્યાદાની વિગતો
ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- વધુ હોવી જોઈએ નહીં.

નોધ:- વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહીં

Also Read:- જ્ઞાન સાધન સ્કોલરશીપ યોજના

How To Apply Online માનવ ગરિમા યોજના 2023 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

સાધન સહાય નો લાભ લેવા માટે માનવ ગરિમા યોજના નો લાભ મેળવવા માટે અરજદાર ને અરજી ઓનલાઇન કરવાની રહેશે અરજી કરવા માટે સોવપ્રાથમ E Samaj Kalyan Portal Online Registration ઉપર તમારું રજીસ્ટર કરવું જરૂરી છે. નીચે દર્શાવેલ સ્ટેપ્સ ને ધ્યાન થી વાંચી ફોલો કરવા વિનંતી. 

  1. સૌપ્રથમ web browser માં તમારે “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
  2. E Samaj Kalyan Portal ટાઇપ કર્યા તમારી સામે પ્રથમ લિન્ક પર ક્લિક કરી સરકાર માન્ય E Samaj Kalyan Portal ની વેબસાઇટ ખૂલસે 
  3. સીધા E Samaj Kalyan Portal જવા અહી ક્લિક કરો
  4. જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
  5. હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
  6. જેવા તમે લૉગિન કરશો એટલે તમને તમારી જાતિ મુજબ ની યોજના બતાવવા માં આવશે જેમાંથી તમારે માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહશે.
  7. Manav Garima Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  8. online application માં તમામ આધાર ઓરીજનલ અપલોડ કરવા જરૂરી છે. 
  9. ત્યારબાદ અરજી ની ખાતરી કરી ને અરજી ને confirm કરવાની રેહશે. 
  10. તમારી અરજી confirm કર્યા બાદ માનવ ગરિમા યોજના ની પ્રિન્ટ કઢાવવાની રેહશે.

E-Samaj Kalyan Portal Online Registration

manav garima yojana 2023 અને બીજી ઘણી બધી યોજના નો લાભ મેળવવા માટે હવે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે. તમામ લોકો ને કોઈ પણ યોજના નો લાભ લેવા માટે e samaj kalyan portal online registration કરવું જરૂરી ઈ-સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર રજીસ્ટર કેવી રીતે કરવું તેની જાણકારી અમે અલગ થી એક પોસ્ટ માં આપેલ છે

રજીસ્ટર કરવા અહી ક્લિક કરો

નિષ્કર્ષ – માનવ ગરિમા યોજના 2023 

પ્રિય પાઠક મિત્રો આ પોસ્ટ ના માધ્યમ દ્વારા આપણે માનવ ગરિમા યોજના વિશે સપૂર્ણ માહિતી મેળવી છે manav garima yojana માં ફોર્મ કેવી રીતે ભરવું , કોને લાભ મળે એવી તમામ માહિતી આપડે આ પોસ્ટ આપવામાં આવેલ છે. 

જો તમને આ માનવ ગરિમા યોજના 2023 પોસ્ટ પસંદ આવે તો તમારા અન્ય સાથી મિત્રો સાથે જરૂર થી શેર કરજો જેથીયોજના નો લાભ લેવામાં કોઈ બાકી ના રહી જાય. જો તમને કોઈ અન્ય સવાલ હોય તો તમે કમેંટ કરી જણાવી શકો છો. talatimantri.in પર તમને આવી નવી નવી માહિતી દર રોજ પૂરી પાડવામાં આવે છે.

FAQ’s-વારંવાર પૂછાતા સવાલ

Manav Grima Yojana 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ?

યોજના માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા- 14/06/2023 સુધી

યોજના નો લાભ લેવા માટે આવક મર્યાદા શું છે ?

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- વધુ હોવી જોઈએ નહીં.

માનવ ગરીમા યોજના નો લાભ લેવા માટે વય મર્યાદાના કેટલી છે ?

અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ

કેટલા પ્રકાર ના વ્યવસાય ને સાધન પૂરા પાડવામાં આવે છે?

કુલ 28 પ્રકાર ના વ્યવસાય માટે સરકાર દ્વારા સાધન પૂરા પાડવામાં આવે છે

કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ?

માનવ ગરિમા યોજના 2023 માં કુલ 25000 સુધીની સાધન સહાય યોજના પૂરી પાડવામાં આવે છે.

Manav Grima Yojana 2023 ફોર્મ ભરવા અરજી કેવી રીતે કરવાની રેહશે?

samaj kalyan portal પર થી ઓનલાઇન અરજી કરવાની રહશે.

Leave a Comment